> લાલ બહાદુર શાસ્ત્રી  ~ GYANSAFAR-PRIMARY TEACHERS BLOG

02 October 2014

લાલ બહાદુર શાસ્ત્રી 

લાલ બહાદુર શાસ્ત્રી 
જન્મતિથિ: બીજી ઓક્ટોબર, ૧૯૦૪
નિધન:
ભારત દેશના ત્રીજા વડા પ્રધાનમંત્રી
જન્મસ્થાન: મુગલસરાય, ઉત્તર પ્રદેશ
પ્રધાનમંત્રી તેમજ ત્રીજા વડા પ્રધાનમંત્રી
પદભાર ગ્રહણ: નવમી જૂન ૧૯૬૪
સેવામુક્ત: અગિયારમી મે ૧૯૬૬
(મૃત્યુ પર્યંત)
પૂર્વવર્તી: ગુલઝારી લાલ નંદા
ઉત્તરાધિકારી: ગુલઝારી લાલ નંદા
લાલ બહાદુર શાસ્ત્રી ( બીજી ઓક્ટોબર, ૧૯૦૪ - અગિયારમી જાન્યુઆરી, ૧૯૬૬), ભારત દેશના ત્રીજી લોકસભાના અને બીજા સ્થાયી વડા પ્રધાનમંત્રી હતા. તેઓ ૧૯૬૩-૧૯૬૫ના વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાન મંત્રી હતા. એમનો જન્મ મુગલસરાય, ઉત્તર પ્રદેશ ખાતે થયો હતો.
લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ૧૯૦૪માં થયા બાદ મુગલસરાય, ઉત્તર પ્રદેશ ખાતે લાલ બહાદુર શ્રીવાસ્તવ નામથી ઉછેર થયો હતો. એમના પિતા શારદા પ્રસાદ એક ગરીબ શિક્ષક હતા, જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે લિપિક (ક્લાર્ક) બન્યા હતા.
ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પશ્ચાત શાસ્ત્રીજીને ઉત્તર પ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ યાતાયાત મંત્રી બન્યા હતા. યાતાયાત મંત્રી તરીકેના સમય દરમિયાન એમણે પ્રથમ વાર મહિલાને બસ-સંવાહક (બસ-કંડક્ટર) તરીકેના પદ પર નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો હતો. પ્રહરી વિભાગના મંત્રી થયા બાદ એમણે ભીડને નિયંત્રણમાં રાખવા માટે લાઠી પ્રહારને બદલે પાણી છાંટવાનો પ્રયોગ કરી તેનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૯૫૧ના વર્ષમાં, જવાહર લાલ નેહરુના નેતૃત્વમાં તેઓને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે ૧૯૫૨, ૧૯૫૭ તેમજ ૧૯૬૨ની ચુંટણીઓમાં કોંગ્રેસ પક્ષને ભારે બહુમતી સાથે જિતાડવા માટે ખુબ પરિશ્રમ કર્યો 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Posted via Blogaway
Share:

0 Post a Comment:

Copyright © GYANSAFAR-PRIMARY TEACHERS BLOG
Distributed By GYANSAFAR & Design by gyansafar | Blogger Theme by gyansafar.in