22 October 2014

ઇતિહાસ

ઇતિહાસ

♻ઇડર ના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાન અહમદ ૧ લાએ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની મુળ સ્થાપના ઇ.સ. ૧૪ર૬ માં કરી હતી.♻ સુલતાનને આ સ્થળ ખુબ પસંદ હતું. એમ કહેવાતું અને તેથી તેનું નામ અહમદનગર , રાખવામાં આવ્યું.
♻ત્યાર બાદ ઇ.સ. ૧૮૪૮ માં ઇડર રાજયને તે પાછું સોંપવામાં આવ્યું. અને તેના રાજા હિંમતસિંહજીના નામ પરથી તેનું હાલનુંનામ હિંમતનગર રાખવામાં આવ્યું હતું. પ૦૦ ફુટ ઉંચાઇની ખડકાળ ટેકરીવાળા ઇડરગઢની તળેટીમાં ઇડર અતિ રમણીય રીતે વસેલું છે. ♻ડુંગર ઉપર આવેલા કિલ્લાની મજબુતાઇ કહેવતરુપ બની ગઇ છે. ઇડરીઓ ગઢ જીતવો એ અશકય વસ્તુ પ્રાપ્ત કરવા બરોબર છે. ચીની મુસાફર હયુ-એન-સંગે (ઇ.સ. ૬૪૦ ) તેની નોંધપોથીમાં વડાલીનો ઉલ્લેખ કર્યો છે. જેને ચીની ભાષામાં ઓ.ચા.લી. કહે છે.
♻પરિહર રજપુતોએ ઇડરની ફરી સ્થાપના કરી હોવાનું મનાય છે. આ રજપૂતોએ ચિતોડને તાબે રહીને કેટલીક પેઢીઓ સુધી ઇડર પર રાજય કર્યું. ♻૧ર મા સૈકાના અંતમાં ઇડરના રાજાએ દિલ્લીના રાજા પૃથ્વીરાજ સાથે હિંન્દુસ્તાનના મુસ્લિમ આક્રમણકારો સામે ભાગ લીધો અને સન ૧૧૯૩ ની થાનેસરની લડાઇમાં હિંદુઓની મોટી હાર થઇ અને તેમાં તે મરાયો. ત્યાર બાદ ઇડર હાથી સોર્ડ કોળીના હાથમાં ગયું અને તેના પછી તેનો પુત્ર શામળીઓ ગાદી પર આવ્યો.♻રાઠોડ રાજવી સોનંગજીએ શામળીયાને મારી નાખ્યો અને ઇડરનો કબજો મેળવ્યો અને રાવ વંશની સ્થાપના કરી, જેમણે ધણી પેઢીઓ સુધી ઇડર પર રાજય કર્યું.
♻વિલીન થયેલા રાજયો પૈકી વિજયનગર એ બીજું અગત્યનું રાજય હતું. ત્યાં મોટે ભાગે પછાત કોમની વસતિ છે. તેનો વિસ્તાર જંગલોનો અને ટેકરીઓથી ધેરાયેલો છે. વિજયનગરથી ૮ માઇલ દૂર અભાપુર પાસે શિવ, મહાવીર,સૂર્ય વગેરેના જૂના મંદિરોના છૂટા છવાયા અવશેષો મળી આવ્યા છે.
♻ઇ.સ. ૧૧૦૦ માં બંધાયેલા શરણેશ્વર મહાદેવના મંદિરનો અલ્લાઉદ્‍ીન ખીલજીના ભાઇ અલફખાને પાટણની ચડાઇ વખતે નાશ કર્યો. ♻આ મંદિરની દરેક બાજુએ સુંદર શિલ્પકામ કરેલું છે. પુરાતત્વ વિધાખાતા તરફથી તેના સંરક્ષણ માટે કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે.
ભૂતપૂર્વ પશ્વિમ ભારતની દેશી રાજયોની એજન્સીના સાદરા વિભાગના આંબલીયારા,મોહનપુર, માલપુર, બાયડ અને બીજા રાજયોને આ જિલ્લામાં ભેળવી દેવામાં આવ્યાં છે. ♻આમ હાલના સાબરકાંઠા જિલ્લામાં વિલીનીકરણ અને એકત્રીકરણ થયેલા ર૯ રાજયોનો સમાવેશ થાય છે. ♻ભૂતપૂર્વ અમદાવાદ જિલ્લાના પ્રાંતિજ તાલુકા અને મોડાસા તાલુકાને પણ આ જિલ્લામાં સમાવી લેવામાં આવ્યાં છે.
♻નવેમ્બર-૧૯પ૬ માં રાજયનું પુનઃસંચાલન થતાં મુંબઇ રાજયના મોટાભાગનું વિભાજન વિદર્ભ,મરાઠાવાડા,સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગમાં થયું હતું.♻ ઘ્વિભાષી રાજયનું વિભાજન થતાં સાબરકાંઠા જિલ્લો અમદાવાદ જિલ્લાની જેમ અસ્તિત્વમાં આવ્યો.
♻છેલ્લે 1 લી મે ૧૯૬૦ ના રોજ મુંબઇ રાજયનું વિભાજન થતાં ગુજરાત તથા મહારાષ્ટ્ર અલગ અલગ રાજય તરીકે અસ્તિત્વમાં આવ્યા.♻ આ તારીખથી સાબરકાંઠા જિલ્લો રાજયના એક ભાગ તરીકે અસ્તિત્વમાં આવ્યો.

Posted via Blogaway
Share:

20 October 2014

19 October 2014

ઇતિહાસ

♻ઇતિહાસ♻
ઐતિહાસિક પૃષ્ટભૂમિમાં ડોકીયું કરીએ તો ભારતભરમાં સૌ પ્રથમ સંજાણ બંદરેથી પારસીઓના પ્રવેશને ભૂલી શકયા નહીં. સંજાણ ખાતે પગ મૂકીને ભારતભરમાં ફેલાયેલા પારસી સમુદાયનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ "આતશ બહેરામ" અને "ફાયર ટેમ્પલ" વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ખાતે આવેલ છે એટલું જ નહીં ઉદવાડા નજીક નેશનલ હાઇવે નં.૮ પર આવેલ બગવાડા ખાતે જૈનોનું પ્રાચીન તીર્થસ્થળ આવેલ છે. જયાં લોકોનો પ્રવાહ સતત વહેતો રહે છે.
પારડી તાલુકામાં સ્વ. ઇશ્વરભાઈ દેસાઇએ આદરેલો "ખેડ સતાગ્રહ" અથવા ધાસીયા આંદોલને પારડીને દેશ અને વિશ્વ સમક્ષ મૂકાયો હતો. પારડી તાલુકાના વાપી ખાતે વિશ્વનો સૌથી વિશાળ ઔદ્યોગિક વસાહત આવેલ છે.
વલસાડ તાલુકાના અને વલસાડથી પારડી તરફ પાંચ-છ કિલોમીટરના અંતરે આવેલ છત્રપતિ મહારાજના કિલ્લા તરીકે ઓળખાતો પારનેરાનો ડુંગર ખૂબ જ આકર્ષણ ધરાવે છે અને નવરાત્રી દરમિયાન આઠમનો મોટો મેળો ભરાય છે.
આ ડુંગર પર હજારો ભકતો ચંદ્ગિકા માતાજી, કાલીકા માતાજી, હનુમાનજીના મંદિર, શંકર ભગવાનના મંદિર ના દર્શન કરી પાવન થાય છે. સાથે સાથે મુસ્લિમ બિરાદરો માટે દરગાહના દર્શન વંદનીય છે.
ભારત રત્ન તથા ભૂતપૂર્વ પ્રધાન મંત્રી શ્રી મોરારજી દેસાઇ જેવા રાષ્ટ્રીય મહામાનવના જન્મસ્થાનના લીધે વલસાડ જિલ્લો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં આવો હતો. એ સિવાય વલસાડી હાફુલ કેરી અને અતુલ ખાતે આવેલ રંગ રસાયણના વિશ્વ વિખ્‍યાત કારખાનાઓ, મોટી ઉદ્યોગ વસાહત વાપી તેમજ તમામ ગુણોથી સમૃદ્ધ એવું વલસાડી સાગ લાકડાંથી વલસાડ જિલ્લો ખૂબ જ પરિચિત છે. વલસાડ જિલ્લો ગુજરાતના દક્ષિણે આવેલું છે અને એની પશ્ચિમે ભુરો અરબી સમુદ્ગ છે.
પૂર્વમાં સહાયદ્ગિ પર્વતમાળાઓ આવેલ છે. ૧૪,૧૦,૬૮૦ વસ્તી ધરાવતો અને ૨,૯૪૭.૪૯ ચો.કી.મી. વિસ્તાર ધરાવતો વલસાડ જિલ્લો ભારતના તમામ ક્ષેત્રો કરતાં સારી સુવિધાઓ, સારૂં જીવનધોરણ ધરાવતું ક્ષેત્ર છે. વલસાડ ખાતે રેલ્‍વે સુરક્ષા દળનું મુખ્‍ય મથક તેમજ ટ્રેનીંગ સેન્ટર ધરાવે છે. વલસાડ ખાતેનું રેલવે તંત્ર લોકો શેડ, દવાખાનું, એરીયા મેનેજરી કચેરી જેવા મહત્વના વિભાગો ધરાવે છે અને વિશાળ રેલવે વસાહતો પણ આવેલ છે. વલસાડ ખાતે કેરી સહિત પ્રખ્‍યાત ચીકુ તથા અન ખેતી ઉત્પાદનોના વેચાણ માટે વિશાળ એમ.પી.એમ.સી. માર્કેટ આવેલ છે.
વલસાડથી પાંચ કિ.મી. પર આવેલ તીથલ ગામ આજે એક ૫ર્યટક સ્થળ ઊપરાંત એક તીર્થ સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે. જયાં " સાંઇબાબા " મંદિરનું રમણીય સંકુલ, પ્રખ્‍યાત જૈન મુનીઓ, પૂ. બંધુ ત્રિપુટીજીનું સાધના કેન્દ્ગ "શાંતિનિકેતન સંકુલ", અક્ષરપુરૂષોત્તમ બોચાસણવાસી સંપ્રદાયનું "સ્વામીનારાય મંદિર" વગેરે આવેલ છે જે વિવિધ ક્ષેત્રોના સહેલાણીઓને ખૂબ જ સહજતાથી આકર્ષ‍િ રહ્યા છે. જેનું મુખ્‍ય કારણ તીથલ એ રમણીય દરિયા કિનારો છે. જયાં ગુજરાત રાજના પ્રવાસન નિગમની હોટલ "તોરણ" રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગનો ગેસ્ટ હાઉસ, હોટલ તીથલ વગેરેમાં નિવાસ વવસ્થા છે ઉપરાતં વલસાડ શહેરમાં પણ ઘણી બધી હોટલો આવેલ છે. જેનો લાભ સહેલાણીઓલેતા હોય છે. વિશેષમાં વલસાડ તાલુકાના અને ધરમપુર રોડ પર આવેલ પાથરી ગામ ખાતે "ભગવાન દત્તાત્રેય"નું મંદિર અને સંકુલ વલસાડ જિલ્લાવાસીઓ માટે ખૂબ જ શ્રદ્ધા અને આકર્ષણ ના કેન્દ્ગ તરીકે ખૂબ જ ઝડપથી ઉપસી રહ્યું છે.
વલસાડ જિલ્લાની ધરમપુર, કપરાડા તાલુકા મોટાભાગે આદિવાસી ક્ષેત્ર છે અને સહાયદ્ગિ પર્વતમાળાઓના ખોળામાં ઝુલે છે. અહીંના હીલ સ્ટેશનો ભારતના કોઇપણ હીલ સ્ટેશની સરખામણીમાં ઊભા રહી શકે તેવા છે, પણ આ વિસ્તારમાં તેના દુર્ગમપણાને કારણે સહેલાણીઓ માટે રહેવા તથા જમવાની વ્‍યવસ્થા નહિંવત છે. વહેતી નદીઓને ઝરણાં, ઉંચા પહાડો, ગાઢ વનરાજીને જંગલ ધરાવતું આ ક્ષેત્ર તેના અપ્રિતમ કુદરતી સૌદર્ય ને કારણે પ્રવાસન ક્ષેત્રે વિકાસની વિપુલ તાકાત ધરાવે છે.
ધરમપુર ખાતે વિજ્ઞાનના જુદા જુદા નિયમોના પ્રદર્શન તથા નિદર્શન ની વવસ્થા ધરાવતું આધુનિક વૌજ્ઞાનિક સાધનોવાળું સરકારનું " જિલ્લા વિજ્ઞાન સેન્ટર" આવેલું છે. જે વલસાડ જિલ્લા માટે જ નહીં મહારાષ્ટ્ર, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી તથા અન જિલ્લાઓમાંના વિજ્ઞાન પ્રેમીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ગ બની રહ્યું છે. ત્‍યાં જ મહામંડલેશ્વર પૂ. વિદ્યાનંદજી સરસ્વતી મહારાજ દ્વારા નિર્મિત બરૂમાળ ખાતે "ભાવ ભાવેશ્વર" ભગવાનની અષ્ટ ઘાતુની મૂર્તિનું ભવ્‍ય મંદિર અને લોકો૫યોગી સંકુલન પણ એક તીર્થ તરીકે ઉપસી રહ્યો છે. કપરાડા તાલુકાના દાબખલ ખાતે જંગલ વિભાગે અને ખાસ કરીને વલસાડ દક્ષિણ વિભાગના તત્કાલીન ડી.એફ.ઓ. શ્રી પી.એસ. વળવીના દેખરેખ હેઠળ તૈયાર થયેલ "સહાયદ્ગિ સૃષ્ટિ સેન્ટર" વલસાડ અને નાસીક વચ્ચેના મુસાફરો માટે ખૂબજ આકર્ષણનું કેન્દ્ગ છે. જયાં કુદરતના અણમોલ ખજાનામાંથી અસંખ્‍ય ઔષધીઓનો ખજાનો ભરેલો છે. અહીંના આદિવાસી વનવાસીઓની સંપત્તિ છે. તેમાં રપ૦ જાતના વૃક્ષો તથા રરપ થી વધુ જાતની ઔષધીઓના છોડ છે

Posted via Blogaway
Share:

11 October 2014

નોબેલ પુરસ્કાર જીતી ચૂક્યા છેઆ 10 ભારતીયો

નોબેલ પુરસ્કાર જીતી ચૂક્યા છે
આ 10 ભારતીયો
નવી દિલ્હી/અમદાવાદ તા. 10 ઓક્ટોબર
2014
ભારત સાથે સંબંધ ધરાવતા નવ લોકોને
અત્યાર સુધીમાં અલગ અલગ
કેટેગરીમાં નોબેલ પુરસ્કાર મળી ચૂક્યા છે.
રવિન્દ્રનાથ ટાગેર (Rabindranath Tagore -
1913)
રવિન્દ્રનાથ ટાગેર પહેલા નોબેલ
પારિતોષ વિજેતા હતા, તેમને
સાહિત્યના ક્ષેત્રે અમુલ્ય યોગદાન બદલ
આ પુરસ્કારથી સન્માનિત
કરવામાં આવ્યા હતા. ટાગોરને વર્ષ
1913માં જ્યારે આ પુરસ્કાર મળ્યો તે સમયે
આ પુરસ્કાર મેળવનારા તેઓ પ્રથમ બિન
યુરોપિયન અને પ્રથમ ભારતીય હતા.
સી.વી. રમણ (C.V. Rraman - 1930)
મદ્રાસમાં 1888માં જન્મેલા સી.વી.
રમણને ફિઝિક્સ વિષયમાં વિશેષ યોગદાન
આપવા બદલ 1930માં ફિઝિક્સ
ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત
કરવામાં આવ્યા હતા. સી.વી. રમણે
પ્રકાશ સાથે જોડાયેલી અસરોની શોધ
કરી હતી. તેમની આ શોધ રમણ
ઇફેક્ટના નામથી જાણીતી છે.
હરગોવિંદ ખુરાના (Hargobind Khorana -
1968)
હરગોવિંદ ખુરાનાનો જન્મ વર્ષ
1922માં રાયપુર પંજાબમાં થયો હતો.
ભારતીય મૂળના જાણીતા વૈજ્ઞાનિક
હરગોવિંદ ખુરાનાને વર્ષ
1968માં દવા સંબંધી(મેડિસિન)ક્ષેત્રમાં નોબેલ
પુરસ્કાર મળ્યો હતો. ખુરાનાએ
પોતાની શોધ એન્ટી બાયોટિક ખોરાક
પર કરી હતી. તેમની આ
શોધથી જાણવા મળ્યું કે એન્ટી બાયોટિક
દવાથી શરીર પર કઇ રીતની વ્યાપક અસર
થાય છે.
ભારતના પંજાબમાં જન્મેલા ખુરાનાએ
આગળ
જતા અમેરિકાની જાણીતી એમઆઇટી ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ
કર્યો અને અમેરિકામાં જ સ્થાયી થયા.
ચંદ્રશેખર સુબ્રમણ્યમ (Chandrashekhar
Subramaniam - 1983)
ચંદ્રશેખર સુબ્રમણ્યમનો જન્મ
1910માં લાહોરમાં થયો હતો અને તેમનું
ભણતર અમેરિકામાં થયું હતું. તેમનો વિષય
એસ્ટ્રોફિઝિક્સ હતો. તારાઓના આકાર
અને કેવી રીતે તારાઓ
બન્યા તેના સૈદ્ધાંતિક સંશોધન માટે તેમને
વર્ષ 1983માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
મધર ટેરેસા (Mother Teresa - 1997)
મધર ટેરેસાનો જન્મ 26મી ઓગસ્ટ
1910ના રોજ હાલના રિપબ્લિક ઓફ
મેસેડોનિયાના સ્કોપજેમાં થયો હતો. તે
સમયે આ જગ્યાનું નામ એગ્નેસ
ગોન્ઝહા બોજાક્સહિયુ હતું. ગરીબ અને
પીડિત લોકો માટે
કરેલી તેમની કામગીરીને દુનિયાએ
અભૂતપૂર્વ ગણાવી છે. તેમના માનવતા અને
લોકોપકારી કાર્યો માટે વર્ષ
1997માં તેમને શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ
મળ્યું હતું. મધર ટેરેસા અંતિમ શ્વાસ
સુધી કોલકત્તામાં રહ્યા હતા.
અમર્ત્ય સેન (Amartya Sen - 1998)
અમર્ત્ય સેનનો જન્મ પશ્ચિમ
બંગાળના બિરભુમ જિલ્લાના એક
નાનકડા ગામ બોલપુરમાં 3 નવેમ્બર
1933ના રોજ થયો હતો. અમર્ત્ય સેન
પોતાની બુક ધ આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન
માટે ઘણા ચર્ચામાં રહ્યા હતા, પરંતુ
અર્થશાસ્ત્રમાં તેમનું યોગદાન ઉલ્લેખનીય
રહ્યું છે. તેમને વર્ષ 1998માં અર્થશાસ્ત્ર
ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું
હતું.
વી.એ.એસ નાયપોલ (V.S Naipaul - 2001)
વી.એ.એસ નાયપોલનો જન્મ વર્ષ
1932માં ટ્રિનિદાદમાં થયો હતો.
ટ્રિનિદાદમાં જન્મેલા વિદ્યાધર
સૂરજપ્રસાદ નાયપોલના પૂર્વજ
ગોરખપુરમાં રહેતા હતા.
તેમના પૂર્વજો મજૂર તરીકે ત્રિનિદાદ
પહોંચ્યા હતા.
નાયપોલની નવલકથાઓને ભારતમાં ધણું
મહત્વ આપવામાં આવે છે, જો કે આ
નવલકથામાં ભારતને લઇને તેમનો અભિગમ
ઘણો વિવાદિત રહ્યો હતો.
બ્રિટનમાં નાયપોલને 2001માં સાહિત્ય
ક્ષેત્રમાં યોગદાન આપવા બદલ નોબેલ
પુરસ્કાર આપવમાં આવ્યો હતો.
આર.કે પચૌરી (R.K Pachauri - 2007)
રાજેન્દ્ર પચૌરીનો જન્મ 20 ઓગસ્ટ
1920ના રોજ નૈનિતાલમાં થયો હતો.
રાજેન્દ્ર પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત
હતા અને તેઓ લાંબા સમય
સુધી ટેરી(ટાટા એનર્જી રિસર્ચ
ઇન્સ્ટિટ્યૂટ)માં જોડાયેલા રહ્યા હતા.
તેમનું સંશોધન પેપર આબોહવા પરિવર્તન
પર હતું. તેમને વર્ષ 2007માં યુનાઇટેડ નેશન્સ
ક્લાયમેટ ચેન્જ માટે
બનેલી કમિટીની સાથે સંયુક્તપણે
શાંતિ માટે નોબેલ પુરસ્કાર
આપવામાં આવ્યો હતો.
વેંકટ રામકૃષ્ણન (Venkat Ramakrishnan - 2009)
ભારતીય મૂળના વેંકટ રામકૃષ્ણનનો જન્મ
વર્ષ 1952માં મદુરાઈમાં થયો હતો. તેમને
રિબોઝોમના સ્ટ્રક્ચર અને
પદ્ધતિના વિષયમાં શોધ કરવા બદલ વર્ષ
2009માં કેમેસ્ટ્રી ક્ષેત્રે નોબેલ પુરસ્કાર
આપવામાં આવ્યો હતો. એક
ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે દરેક
વૈજ્ઞાનિકે નોબેલ પુરસ્કાર મળશે એવુ
સમજીને કામ ન કરવું જોઇએ.
કૈલાસ સત્યાર્થી (Kailash Satyarthi - 2014)
કૈલાસ સત્યાર્થીનો જન્મ
મધ્યપ્રદેશના વિદિશામાં 11
જાન્યુઆરી 1954ના રોજ થયો હતો.
કૈલાસ સત્યાર્થીને બાળ મજુરી વિરૂદ્ધ
અભિયાન ચલાવવા, બાળકોના વિકાસ
અને તેમના હક માટે ઝુંબેશ ચલાવવા માટે આ
વર્ષે શાંતિ માટેનો સંયુક્ત નોબેલ પુરસ્કાર
આપવામાં આવ્યું છે.

Posted via Blogaway
Share:

02 October 2014

લાલ બહાદુર શાસ્ત્રી 

લાલ બહાદુર શાસ્ત્રી 
જન્મતિથિ: બીજી ઓક્ટોબર, ૧૯૦૪
નિધન:
ભારત દેશના ત્રીજા વડા પ્રધાનમંત્રી
જન્મસ્થાન: મુગલસરાય, ઉત્તર પ્રદેશ
પ્રધાનમંત્રી તેમજ ત્રીજા વડા પ્રધાનમંત્રી
પદભાર ગ્રહણ: નવમી જૂન ૧૯૬૪
સેવામુક્ત: અગિયારમી મે ૧૯૬૬
(મૃત્યુ પર્યંત)
પૂર્વવર્તી: ગુલઝારી લાલ નંદા
ઉત્તરાધિકારી: ગુલઝારી લાલ નંદા
લાલ બહાદુર શાસ્ત્રી ( બીજી ઓક્ટોબર, ૧૯૦૪ - અગિયારમી જાન્યુઆરી, ૧૯૬૬), ભારત દેશના ત્રીજી લોકસભાના અને બીજા સ્થાયી વડા પ્રધાનમંત્રી હતા. તેઓ ૧૯૬૩-૧૯૬૫ના વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાન મંત્રી હતા. એમનો જન્મ મુગલસરાય, ઉત્તર પ્રદેશ ખાતે થયો હતો.
લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ૧૯૦૪માં થયા બાદ મુગલસરાય, ઉત્તર પ્રદેશ ખાતે લાલ બહાદુર શ્રીવાસ્તવ નામથી ઉછેર થયો હતો. એમના પિતા શારદા પ્રસાદ એક ગરીબ શિક્ષક હતા, જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે લિપિક (ક્લાર્ક) બન્યા હતા.
ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પશ્ચાત શાસ્ત્રીજીને ઉત્તર પ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ યાતાયાત મંત્રી બન્યા હતા. યાતાયાત મંત્રી તરીકેના સમય દરમિયાન એમણે પ્રથમ વાર મહિલાને બસ-સંવાહક (બસ-કંડક્ટર) તરીકેના પદ પર નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો હતો. પ્રહરી વિભાગના મંત્રી થયા બાદ એમણે ભીડને નિયંત્રણમાં રાખવા માટે લાઠી પ્રહારને બદલે પાણી છાંટવાનો પ્રયોગ કરી તેનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૯૫૧ના વર્ષમાં, જવાહર લાલ નેહરુના નેતૃત્વમાં તેઓને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે ૧૯૫૨, ૧૯૫૭ તેમજ ૧૯૬૨ની ચુંટણીઓમાં કોંગ્રેસ પક્ષને ભારે બહુમતી સાથે જિતાડવા માટે ખુબ પરિશ્રમ કર્યો 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Posted via Blogaway
Share:

releted post

Recent Posts Widget
Copyright © GYANSAFAR-PRIMARY TEACHERS BLOG
Distributed By GYANSAFAR & Design by gyansafar | Blogger Theme by gyansafar.in